ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા
મોરબીમાં ૯૮ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
SHARE
મોરબીમાં ૯૮ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર
મોરબીના યુવાન સાથે ૯૮ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જેની મોરબી જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો જે આરોપીએ વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને ડીસ્ટ્રકટ કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.
મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ફરિયાદીની હક્કિત એવી હતી કે, આરોપી વોટસએપ નંબર ૯૯૩૬૯૫૫૭૧૬ વાળાએ ફરીયાદી સાથે ફરીયાદીના મોબાઈલમાં વોટસએપ મેસેજ કરી ફરીયાદીને પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી હતી અને ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવીને ફરીયાદી અવારનવાર વોટસએપ ચેટ દ્વારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય અને ફરીયાદીને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ફરીયાદીના વોટસએપમાં મોકલી હોય અને ફરીયાદીને ૯૮,૦૦,૦૦૦ ડીલરને એડવાન્સ પેમેનટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી જેથી ફરીયાદીએ યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ માં ૯૮,૦૦,૦૦૦ આર.ટી.જી.એસ. દ્વારા મોકલી આપેલ હતા અને ફરીયાદીએ આ શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદીને કોઈ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હતી જેથી ફરીયાદીને જાણવા મળેલ કે આરોપી મોબાઈલ નંબર ૯૯૩૬૯૫૫૭૧૬ તથા યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ના ખાતાધારકે મળી ગુનાહીત કાવતરુ રચી તેની સાથે ૯૮,૦૦,૦૦૦ ની વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે.
આ કેસમાં પકડાયેલ આરોપીના જામીન માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ તરીકે જે.ડી.અગેચાણીયા રોકાયેલ હતા અને તેને એવી દલીલ કરી હતી કે, આરોપી સામેની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. અરજદાર/આરોપીને જો જામીન પર મુકત કરવામાં ન આવે તો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ છે. અરજદાર/આરોપી કોઈ ગુનાહીત ઈતીહાસ ધરાવતા નથી. અરજદાર/આરોપીને જેલમાં રહેવું પડે તો તેમના પરીવારજનોને નુકશાની વેઠવી પડે તેમ છે. અરજદાર/આરોપીને જો જામીન પર મુકત કરવામાં ન આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. ફોજદારી ન્યાયશાસ્ત્રમાં "જામીન એ નિયમ અને જેલ એ અપવાદ છે.' તે સિધ્ધાંત સાથે વ્યકિત સ્વતંત્રતાનો સિધ્ધાંત તેમજ સુપ્રિમ કોર્ટના સંજયચંદા વિ. સી.બી.આઈ., ૨૦૧૨ (૧), એસ.સી.સી. ૪૦ તેમજ સત્યંન્દ્ર અંટીલ વિરુધ્ધ સી.બી.આઈ. ના કેસના ચુકાદામાં પ્રતિપાદીત કરેલ સિધ્ધાંત ધ્યાને લઈ જામીન પર મુકત કરવા દલીલ કરી હતી આમ બંન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષના એડવોકેટ જે.ડી.અગેચાણીયા દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, આર.ડી.ચાવડા (રવિ ચાવડા), કુલદીપ ઝીઝુંવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.