મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના શિક્ષકોના વહીવટી-ટેક્નિકલ પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખને આપ્યું આવેદનપત્ર


SHARE











વાંકાનેરના શિક્ષકોના વહીવટી-ટેક્નિકલ પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખને આપ્યું આવેદનપત્ર

વાંકાનેર તાલુકાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી-ટેક્નિકલ બાબતોને લગતા પ્રશ્નોનું વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને  આવેદન આપ્યું છે.

વાંકાનેર તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/ CRC માટે ચાર્જ ન આપવો પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી કામ માં સમય લાગે અને બાળકોના ભણતરને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્યના ચાર્જ આપવો આવી બેવડી નીતિનો વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરવામાં આવેલ છે જે બાબતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ શિક્ષકોના પ્રશ્નોમાં સાથે હોય એ રીતે આ મુખ્ય પ્રશ્નોમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતો અને અન્ય તમામ જરૂરી બાબતો માટેનું આવેદન પત્ર તૈયાર કરેલ હતું જે જે આવેદન વાંકાનેર તાલુકાના પ્રાથમિક ઉચ્ચતર વિભાગ (ગણિત વિજ્ઞાન) ના શિક્ષકો અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની હાજરીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને રૂબરૂમાં આપવામાં આવેલ છે અને આ મુખ્ય મુદ્દાઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી છે જેની સામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલ્દીથી પ્રશ્નનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી






Latest News