મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના કાશીપર ગામે વાડીએ યુવાને કર્યો આપઘાત: ટંકારાના વાછકપર ગામે વાડીએ બેભાન થઈ ગયેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના કાશીપર ગામે વાડીએ યુવાને કર્યો આપઘાત: ટંકારાના વાછકપર ગામે વાડીએ બેભાન થઈ ગયેલા યુવાનનું મોત

વાંકાનેરના કાશીપર ગામની સીમમાં યુવાને પોતાની જ વાડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતી કામ કરતા મુન્નાભાઈ લખમણભાઇ માલકીયા (44) નામના યુવાને ગઈકાલે બપોરના સમયે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ડી.એમ. રાંકજા ચલાવી રહ્યા છે

વાડીએ બેભાન થઈ ગયેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રમેશભાઈ જેસાભાઇ પરમાર (46) નામનો યુવાન વાછપપર ગામની સીમમાં કોઠારીયા જવાના રસ્તા ઉપર પોતાની વાડીએ હતો દરમિયાન કોઈ કારણસર તે બેભાન થઈ ગયો હતો જેથી તે યુવાનને તેનો દીકરો જયભાઈ રમેશભાઈ પરમાર તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News