માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર


SHARE

















મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર

મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાને આપઘાત કર્યો હતો જેની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પકડાયેલ બે આરોપીએ વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને કોર્ટે મંજૂર કરતાં બંને આરોપીઓનો જામીન ૫૨ છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. ૧૧/૪/૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ ૧૧ શખ્સોની સામે ફરિયાદ કરેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેના મોટાભાઇ નિલેશભાઈ હરેશભાઈ મકવાણા મોરબીના નવલખી રોડે હીતેશ માર્કેટીંગની ઓફીસ ધરાવતા હતા અને આરોપીઓના દબાણના કારણે જંતુનાશક દવા પી અને પોતે આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટ લખી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં છેલ્લે આરોપી નિલેશ ભીમાણી, તથા રવીભાઈ ડાંગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનીપભાઈ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જજ મીતલકુમાર રસીકભાઈ નાગપરાની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે જામીન અરજી કરી હતી જેમાં આરોપીના એડ્વોકેટની દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંન્ને આરોપીઓના શરતોને આધીન 50 હજારના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીઓ પક્ષે એડ્વોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગૌપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા. 




Latest News