માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો


SHARE

















મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો

મોરબીના રવાપરા ગામ પાસેથી એક બાળક ગુમ થયો હતો જેથી તેના પરિવારજનો તે બાળકને શોધી રહ્યા હતા તેવામાં કાલાવડ સુધી તે બાળક પહોચી ગયો હતો જેથી ત્યાંની પોલીસે રવાપરા ગામના પૂર્વ સરપંચને જાણ કરતા તેઓ બાળકના પરિવારજનને સાથે લઈને ત્યાં ગયા હતા અને બાળકને મોરબી લઈ આવીને તેના પરિવારજન સાથે તેનું મિલન કરાવ્યું હતું.

મોરબી નજીકના રવાપરા પાસે રહેતા સંજયભાઈ ભરવાડિયાનો 8 વર્ષનો દીકરો ગોવિંદ છેલ્લા સાત દિવસથી ગુમ થઈ ગયો હતો જેથી તેને પરિવારજનો શોધતા હતા તેવામાં રવાપરા ગામના પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, તમારા ગામનો એક બાળક કાલાવડમાંથી મળી આવેલ છે અને તેનું નામ ગોવિંદ છે જેથી તેઓ ગોવિંદના પરિવારજનને સાથે લઈને ત્યાં ગયા હતા અને ગોવિંદને મોરબી લઈ આવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું. જો કે, ગોવિંદ મોરબીથી કાલાવડ સુધી ગયો કેવી રીતે તે બાબતની કોઈ સ્પષ્ટતા હાલમાં થયેલ નથી.




Latest News