મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

પ્રેરણાદાયી પહેલ: મોરબીના શનાળા ગામે કોરોના કાળમાં દીકરો ગુમાવનારા પિતાએ પુત્રવધુનું કર્યું કન્યાદાન


SHARE







પ્રેરણાદાયી પહેલ: મોરબીના શનાળા ગામે કોરોના કાળમાં દીકરો ગુમાવનારા પિતાએ પુત્રવધુનું કર્યું કન્યાદાન

મોરબીના શનાળા રહેતા પટેલ પરિવારમાં સસરાએ પુત્રવધૂ કર્યું કન્યાદાન... આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, કોરોના કાળમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે ત્યારે શનાળા ગામે રહેતા પટેલ પરિવારે તેનો જુવાનજોધ દીકરાને ગુમાવ્યો હતો ત્યારબાદ પુત્રવધૂને આજીવન હેરાન થવું ન પડે તે માટે સસરાએ તેની પુત્રવધુના લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો અને સારા પાત્રની શોધ શરૂ કરી હતી અને આજે મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનની સાથે પુત્રવધૂના લગ્ન કરાવ્યા છે અને આટલું જ નહીં પુત્રવધુ તેમજ પૌત્રી આજીવન હેરાન ન થાય તે માટે આર્થિક ફંડની વ્યવસ્થા પણ સસરાએ એક પિતા બનીને કરી આપેલ છે

કોરોના કાળ દરમિયાન ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ ગયા છે ત્યારે ખાસ કરીને જો કોઈ પરિવારની અંદર ઘરના મોભી અથવા તો ઘરના કમાનાર વ્યક્તિ ઝપટે આવ્યા હોય તો તે પરિવાર આધાર વિહીન થઈ જતો હોય છે અને નિરાધાર બની જતો હોય છે આવી ઘટનાઓ ઘણી બધી જગ્યાએ બને છે તેવામાં મોરબીના શનાળા ગામે રહેતા નિવારુત નાયબ મામલતદાર નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરિયાના દીકર નિપુલને કોરોના થયો હતો અને કોરોનમાં તેઓએ જુવાનજોધ દીકરાણે બીજી લહેરમાં ગુમાવ્યો હતો ત્યારબાદ તેની પુત્રવધૂ ચંદ્રિકા અને તેમની પૌત્રી દિશાલી આ બંનેની લાંબી જીંદગીને ધ્યાનમાં રાખીને ચંદ્રિકાના લગ્ન કરાવી આપવાનો મનમાં નિર્ધાર કર્યો હતો અને પૌત્રવધુ ચંદ્રિકાના પિતા બનીને નરભેરામભાઇએ તેના માટે સારા પાત્રની શોધ શરૂ કરી હતી

આ શોધના અંતે મોરબી નજીક મહેન્દ્રનગર ગામે રહેતા રેવાભાઇ કુંવરજીભાઈ બાપોદરિયાનો દીકરો જીતેન્દ્ર કે જેના પત્નીને કેન્સરની બીમારી હોવાથી તેનું મૃત્યુ નીપજયું હતું તેના સાથે ચંદ્રિકાનો સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો અને તેમના લગ્ન પણ સમાજના આગેવાનો અને પરિવારના સભ્યોની હાજરીમાં કરાવી આપવામાં આવ્યા છે આટલું જ નહીં પરંતુ નરભેરામભાઇએ પુત્રવધુ ચંદ્રિકાબેન તેમજ પૌત્રી દિશાલીની લાંબી જિંદગીને ધ્યાનમાં રાખીને તે લોકોની સલામતી માટે બેન્કની આર્થિક રીઝર્વ ફંડ પણ મૂકી આપ્યું છે જે તેઓને ભવિષ્યમાં કામ આવશે અને આજીવન કયારે પણ ચંદ્રિકા તેમજ દિશાલીને જયારે પણ જરૂર પડે ત્યારે પિતા બનીને ઊભા રહેવાની તૈયારી નરભેરામભાઇએ દર્શાવી છે આ લગ્ન પ્રસંગ દરમિયાન મોરબી-માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો. મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ ફૂલતરિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ પહેલને બિરદાવી હતી અને તેમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News