મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે


SHARE













મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી નથી અને ભાજપના નેતા આવે ત્યારે ટેમ્પરરી કામ કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં લોકોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે તેમજ સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો, એક્સપોર્ટમાં બેનિફિટ આપો તેમજ કેનાલને લગતા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા પોતાના નેતા અને કાર્યકરોની સુવિધા માટે કરોડોના ખર્ચે કમલમ કાર્યાલય ઉભું કરે છે અને મોરબીના વર્ષો જુના પ્રાણ પ્રશ્નો આજે પણ યથાવત છે. જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આવેદનપત્ર આપવામાં આવશે. નેતાઓના આગમન પહેલા કરવામાં આવતા રોડ રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાના કામ ટેમ્પરરી કરવાના બદલે લોકોના પ્રશ્નોને આજીવન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. તેમજ મોરબીની સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, જિલ્લામાં આવેલ ત્રણેય બ્રાંચ કેનાલના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવામાં આવે તે સહિતની માંગણીઓને લઈને કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.




Latest News