હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે


SHARE





















મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી નથી અને ભાજપના નેતા આવે ત્યારે ટેમ્પરરી કામ કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં લોકોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે તેમજ સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો, એક્સપોર્ટમાં બેનિફિટ આપો તેમજ કેનાલને લગતા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા પોતાના નેતા અને કાર્યકરોની સુવિધા માટે કરોડોના ખર્ચે કમલમ કાર્યાલય ઉભું કરે છે અને મોરબીના વર્ષો જુના પ્રાણ પ્રશ્નો આજે પણ યથાવત છે. જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આવેદનપત્ર આપવામાં આવશે. નેતાઓના આગમન પહેલા કરવામાં આવતા રોડ રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાના કામ ટેમ્પરરી કરવાના બદલે લોકોના પ્રશ્નોને આજીવન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. તેમજ મોરબીની સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, જિલ્લામાં આવેલ ત્રણેય બ્રાંચ કેનાલના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવામાં આવે તે સહિતની માંગણીઓને લઈને કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.










Latest News