આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત


SHARE













ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત

ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસને નવી દિશા આપતા આશરે ૮૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતાએ હતી કે, આ વિકાસ કામોનું ખાતમુહૂર્ત બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું, જે કામ કરવામાં આવશે તેમાં વીરપર ગ્રામ પંચાયત હસ્તક ગામની માળખાગત સુવિધાઓમાં વધારો થાય તેવા કામ લેવામાં આવેલ છે જેમાં પેવર બ્લોક નાંખવાના કામો, સી.સી. રોડ (કોન્ક્રીટ રોડ) બનાવવાનું કા, કમ્પાઉન્ડ વોલના બાંધકામ જેવા કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કામો પૂર્ણ થતાં વીરપર ગામની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે આ તકે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા, ઉપસરપંચ તેમજ તમામ સભ્યો તેમજ અશોકભાઇ ચાવડા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અને આ ગામની ખાતમુહૂર્ત પ્રસંગે કરવામાં આવેલ પહેલને સહુ કોઈએ બિરદાવી હતી.






Latest News