મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી


SHARE







ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરવા માટે તેને આવેલા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લધીરગઢ ગામે આવેલ જય બાલાજી પોલિપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રચનાબા હરીસિંહ આહિરવાર (34)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ટંકારાની લતીપર ચોકડીના બ્રિજ નીચે માર્કેટ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરી સપનાનું આરોપી દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારાના ગણેશપર ગામે રહેતા દર્શનભાઈ રોહિતભાઈ પ્રજાપતિ (26) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણી ટ્રાવેલ્સના ચાલકે કાવુ મારવા જતા સમયે બાઇકને હડફેટે લેતા તે બાઇકમાંથી પડી ગયો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા કાદરીયાભાઈ વેસાકીયાભાઈ બામણીયા (30), લાભુબેન કાદરીયાભાઇ બામણીયા (25) અને અસ્મિતાબેન કાદરીયાભાઈ (4) નામના ત્રણેય વ્યક્તિઓ બાઈક ઉપર અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરુ આવતા  બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ત્રણેય વ્યક્તિઓને ઇજા થતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News