વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન
SHARE
વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત-મેડિસિન મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વિશેષ ઓનલાઈન સત્રનું આયોજન
સમગ્ર વિશ્વમાં જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક જીવનશૈલીના માધ્યમથી આ રોગને મ્હાત આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન Gujarat State Yog Board ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (YouTube Live) પર વિશેષ ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આધુનિક જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે કેન્સરના જોખમો વધી રહ્યા છે. યોગ વિજ્ઞાન મુજબ, જો શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને, તો કેન્સરના કોષો નબળા પડે છે. આ હેતુથી જ યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલીને પ્રોત્સાહન આપી ‘સ્વસ્થ ગુજરાત – મેડિસિન મુક્ત ગુજરાત’ ના સંકલ્પને સાકાર કરવા ઓનલાઈન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી કોષોની કાર્યક્ષમતા સુધારવાની સમજૂતી, પાચનશક્તિમાં સુધારો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ તણાવ અને ચિંતા મુક્ત જીવન માટેનું માર્ગદર્શન તથા કેન્સરના કોષોને રોકવામાં મદદરૂપ એવા શુદ્ધ અને સાત્વિક આહારનું મહત્વ સાહિતની બાબતોને સાંકળી લેવામાં આવશે. આ ઓનલાઈન સત્રમાં સફળતાપૂર્વક જોડાનાર તમામ સહભાગીઓને પ્રોત્સાહન રૂપે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.
મોરબી જિલ્લાના રસ ધરાવતા નાગરિકોએ https://gsyb.in/ અથવા રજીસ્ટ્રેશન લિંક https://cancer-awareness-camp.vercel.app પર જઈને પોતાનું પંજીકરણ કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9033643781 પર સંપર્ક કરી શકાશે. મોરબીના વધુમાં વધુ નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢી આ અભિયાનમાં જોડાઈને કેન્સર મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તેવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.