મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત


SHARE













વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતી પરિણીતાને તેના સાસુના આડાસંબંધ જાણ થઈ હતી જેથી કરીને તેને તેના પતિને તે અંગેની વાત કરી હતી ત્યાર બાદ સાસુ અને પતિ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેટ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા શીતલબેન હરેશભાઈ સોરાણી નામની પરિણીતાએ સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના માતા પ્રભાબેન રાઘુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને વેવાણ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી રહે. બંને ઠીકરીયાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશ સાથે થતાં હતા અને ફરિયાદીની દીકરીને તેના સાસુના આડા સંબંધોની જાણ થઈ ગયેલ હતી જેથી તેણે પોતાના પતિને આ અંગેની વાત કરી હતી ત્યાર બાદ ફરિયાદીને દીકરીને તેના સાસુ અને પતિ દ્વારા શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેણે આપઘાત કરેલ છે. વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષથી મૃતક શીતલબેનને નાની નાની વાતમાં મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા તેમજ મારકૂટ કરતાં હતા આટલુ જ નહીં તેણે પિયરમાં ફોન પર વાત પણ કરવા દેતા ન હતા જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News