મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત


SHARE













અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ગારિડા ગામ નજીક ખોડીયાર માતાની ભેખડ પાસે ઝાડ સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર સિટીમાં દિવાનપરા વિસ્તારમાં દુકાનની અંદર આધેડે ગળાફાંસો ખાઈ લેતા તેનું પણ મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ગારિડા ગામે હાઇવે રોડ નજીક તીર્થ હોટલની સામેના ભાગમાં ખોડીયાર માતાની ભેખડ ઉપર લીમડાના ઝાડ સાથે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાને ગુલાબી કલરની ચાદરના લીરા વડે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની યુનુસભાઈ અલીભાઈ માથકિયા (51) રહે. ગારિડા તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર શહેરના પાતળિયા રોડ ઉપર આવેલ દિવાનપરામાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા (50) નામના આધેડે પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પોતાની જાતે પંખા સાથે મંડપ સર્વિસના કપડાની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડના લગ્ન થયેલ ન હતા જોકે તેને આ પગલું કયા કારણસર ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News