મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કંપનીમાંથી કાર લઈને યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલા  ટ્રકની પાછળ કોઈપણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી તે ટ્રકની પાછળના ભાગમાં કાર અથડાઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં કાર લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા દિલીપસિંહ દશરથસિંહ જાડેજા (33) એ હાલમાં ટ્રક નંબર જીજે 17 વાય 9976 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટાભાઈ પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (35) ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કેલરીસ ઇન્ડિયા રીફેક્ટરી નામના કારખાનામાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા હોય ત્યાંથી તેઓ રાત્રિના સમયે પોતાના ઘર તરફ પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 36 આર 1494 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલ ટ્રકની પાછળ કોઈ પણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી ટ્રકની પાછળ તેઓની કાર અથડાતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં પૃથ્વીરાજસિંહ જાડેજાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે જોકે, અકસ્માતના બનાવના કારણે ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News