હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
Breaking news
Morbi Today

ટંકારા ખાતે આદિવાસી સમાજનો ભગોરિયાનો મેળો અને સ્નેહ મિલન યોજાયુ


SHARE











ટંકારા ખાતે આદિવાસી સમાજનો ભગોરિયાનો મેળો અને સ્નેહ મિલન યોજાયુ

કાંશીરામ સાહેબનાં પ્રેરણા સ્ત્રોત, બહુજન ક્રાંતિનાં પથદર્શક દિના ભાનાજી નાં 99 મી જન્મજયંતિ પ્રસંગે યોજાયેલાં સાંસ્કૃતિક ભગોરીયા મેળા અને સ્નેહ મિલન માં પાલણપીર મેડીનાં મહંત દેશા આપાએ ખાસ ઉપસ્થિત રહીને આદિવાસી સમાજનાં ઈતિહાસ અને સંગઠનનાં મહત્વને ખુબ ઉંડાણથી સમજ આપી હતી.

બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોને તમામ માંગણીઓ બાબતે સંઘર્ષમાં અને નવી રોજગારી ક્ષેત્રે કાયમ મદદરૂપ રહેવાં કટીબદ્ધ બન્યાં હતાં. વધુમાં ખેત મજૂરોને કાયમી વસવાટ અને સરકારી યોજનાઓ બાબતે જાગૃત રહેવાં પ્રેરિત કર્યા હતાં. અને ભગોરીયા મેળા અને સમિતિનાં મૂખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે મુળનિવાસી સમાજને દરેક સંજોગે સંગઠિત રહીને અવાજ બુલંદ રાખવાં પ્રેરિત કર્યાં હતાં અને કોઈપણ પ્રશ્ને કોર્ટનાં દ્વાર ખટખટાવીને પણ ન્યાય મેળવવાં અપીલ કરી હતી.

ગુજરાતભરથી પહોંચેલાં યુવાઓએ સવારનાં 11 થી સાંજનાં 7 વાગ્યાં સુધી આ રંગારંગ કાર્યક્રમ ડીજે અને દેશી ઢોલનાં તાલે મનમૂકીને નાચીને ખુબ જોરશોરથી પ્રસંગ ઉજવ્યો હતો. આ તકે ટંકારા પંથકનાં અનેક માનવતાવાદી ખેડૂતોએ પોતાનાં ખેતમજૂરોને ઉપજમાંથી ત્રીજો ભાગ આપવાની સ્વેચ્છાએ જાહેરાત કરી હતી. જેને તમામ આદિવાસી ખેતમજૂરોએ હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી






Latest News