મોરબી માર્કેટ યાર્ડના વેપારી પાસેથી સ્વામિનારાયણ મંદિરે આપવા તેલ-બેશન ખરીદી કરીને ૧૦.૨૮ લાખનું બિલ ન ચૂકવ્યું !
SHARE
મોરબી માર્કેટ યાર્ડના વેપારી પાસેથી સ્વામિનારાયણ મંદિરે આપવા તેલ-બેશન ખરીદી કરીને ૧૦.૨૮ લાખનું બિલ ન ચૂકવ્યું !
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રેશનિંગની વસ્તુ મોકલવાની છે તેવું કહીને બે શખ્સો દ્વારા બેસન અને તેલના ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી અને તેનું ૧૦.૨૮ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવીને વેપારી સાથે ચેટિંગ કરવામાં આવ્યુ હતું જેથી હાલમાં ભોગ બનેલા વેપારી દ્વારા બે શખ્સોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં જીવંતિકામાં રહેતા અને મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મહેશભાઈ છગનભાઈ ખાવડીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેશભાઈ કાન્તીભાઈ પટેલ રહે. જુનાગઢ તેમજ જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદી યુવાને જણાવ્યું છે કે આરોપીઓએ ગત તારીખ ૮/૩/૨૧ ના રોજ તેઓની દુકાનેથી સ્વામિનારાયણ મંદિરમાં વસ્તુ આપવાની છે તેવું કહીને બેસનના કટા અને તેમજ તેલના ડબ્બાની ખરીદી કરી હતી અને તેના બિલના ૧૦.૨૮ લાખ રૂપિયા આપવાના થતા હતા જે રૂપિયા ન આપીને આરોપીઓએ દુકાનદારની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેથી ભોગ બનેલા વેપારી દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે