મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે


SHARE











વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી અને મહાકાળી માતાજીની તળેટીમાં આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠનો આગામી તા.28 ને શનિવારના રોજ 34 મો પાટોત્સવ યોજાશે.

આ પાટોત્સવ પ્રસંગે તા.28ના રોજ સવારે 8થી 12 સ્થાપિત દેવતાઓનું પુજન તથા સમુહ જપ આ સાથે શ્રી વેદમાતા ગાયત્રી ચેરી. ટ્રસ્ટના બિલ્ડીંગ ખાતે આવેલ વાત્સલ્ય ભુવન ખાતે સવારે 10થી 1 વાગ્યા સુધી મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે સાથે સાથે પ્રજ્ઞા જનસેવા ટ્રષ્ટ દ્વારા સંચાલીત તત્સત નેચર કયોર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન ગાયત્રી શકિતપીઠ દ્વારા કરવામાં આવેલ છે.

ત્યારબાદ સાંજે 4 કલાકથી નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે જે સતત ત્રણ કલાક ચાલુ રહેશે અને સાંજે સાત વાગ્યે પુર્ણાંહુતિ થશે. ત્યારબાદ માં વેદમાતા ગાયત્રી, માં આદ્યશકિત શ્રી અંબાજી માતાજી, શ્રી મહા સરસ્વતી માતા શ્રી મહાકાળીમાં તથા શકિતપીઠમાં સ્થાપિત દેવી-દેવતાઓની મહાઆરતી યોજાશે જેમાં હજારો લોકોની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલે માહિતી આપતા જણાવેલ હતું.

 મહાઆરતી બાદ શકિતપીઠની બાજુમાં આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સાંજે 7-30 કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે જેમાં સાતથી આઠ હજાર માંઈ ભકતો પ્રસાદ ગ્રહણ કરશે અને માંની આરાધના કરશે. તો આ દિવસે તમામ આમંત્રીત ભકતજનોએ હવન, મહાઆરતી તથા મહાપ્રસાદમાં સહ પરિવાર સાથે લાભ લેવા મહંત અશ્વિનબાપુ રાવલે યાદીમાં જણાવેલ છે.






Latest News