મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ
SHARE
મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ
સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેમના કુળદેવી શ્રી ભવાની માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અને ભક્તિમય યજ્ઞ આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬, બુધવાર (ચૈત્ર સુદ ૧૪) ના રોજ મોરબી સ્થિત નહેરુ ગેટ પાસે આવેલા કુળદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે હર્ષોલ્લાસ સાથે યોજાશે.
આ ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા મુજબ, યજ્ઞના દિવસે સવારે ૮:૩૦ કલાકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિનો મંગલ પ્રારંભ કરવામાં આવશે.ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે યજ્ઞમાં બીડું હોમાશે.હવનની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧૨:૪૫ કલાકે સમસ્ત ભોજાણી પરિવારના સભ્યો માટે સમૂહ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે સૌરાષ્ટ્રભરમાં વસતા ભોજાણી પરિવારના તમામ સભ્યોને સપરિવાર હાજરી આપી માતાજીના દર્શન, યજ્ઞ અને મહાપ્રસાદનો ધર્મલાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ અંગેની વધુ માહિતી મેળવવા માટે મો. ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા આયોજનકર્તાઓએ એક યાદીમાં જણાવ્યું છે.