મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ


SHARE











મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ

સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેમના કુળદેવી શ્રી ભવાની માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અને ભક્તિમય યજ્ઞ આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬, બુધવાર (ચૈત્ર સુદ ૧૪) ના રોજ મોરબી સ્થિત નહેરુ ગેટ પાસે આવેલા કુળદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે હર્ષોલ્લાસ સાથે યોજાશે.

આ ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા મુજબ, યજ્ઞના દિવસે સવારે ૮:૩૦ કલાકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિનો મંગલ પ્રારંભ કરવામાં આવશે.ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે યજ્ઞમાં બીડું હોમાશે.હવનની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧૨:૪૫ કલાકે સમસ્ત ભોજાણી પરિવારના સભ્યો માટે સમૂહ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે સૌરાષ્ટ્રભરમાં વસતા ભોજાણી પરિવારના તમામ સભ્યોને સપરિવાર હાજરી આપી માતાજીના દર્શન, યજ્ઞ અને મહાપ્રસાદનો ધર્મલાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ અંગેની વધુ માહિતી મેળવવા માટે મો. ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા આયોજનકર્તાઓએ એક યાદીમાં જણાવ્યું છે.






Latest News