મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE













વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ઓળ ગામની હળદર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ ડમ્પર અને એક એક્ટર મશીન તેમજ ખનીજ સહિત કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ખનીજ માફિયા ઉપર ધોંસ બોલાવી હતી અને ત્યાં રેડ કરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ ત્યાં સાથે રાખવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 36 એક્સ 9153, ડમ્પર નંબર જીજે 36 એક્સ 8804, ડમ્પર નંબર જીજે 36 વી 9949 તથા એકવેસેટર મશીન અને સ્થળ ઉપરથી કાઢી લેવામાં આવેલ ખનીજનો જથ્થો ગણીને કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News