મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના દીકરી હેતલબેન પટેલ (પ્રમુખ અનસ્ટોપેબલ ગ્રુપ-મોરબી) દ્વારા મોરબી સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું અને આ તકે 70 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવ માટે હેતલબેન પટેલ અને અનસ્ટોપેબલ ગ્રુપના તમામ બહેનો અને ભાઈઓએ સહકાર આપ્યો હતો. એક દીકરી સાસરે રહીને પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજની દીકરીઓને પ્રેરણારૂપ બની રહી છે. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, હેતલબેન પટેલનો આભાર વ્યક્ત કરીને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી.