મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા


SHARE













વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન હતા અને પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત માર મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં સમથેરવા ગામના સરપંચની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અને બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે.

વાંકાનેરના સમથેરવા ગામના સરપંચ વિજયભાઈ બચુભાઈ ઉકેડીયા (33) હાલમાં અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સમથેરવા ગામની સીમમાં સરકારી ખરાબની જગ્યામાં તા. 8/4 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં અજાણ્યા 40 થી 50 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળતા હતા જેથી આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતક યુવાનને કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ મારમારીને ગંભીર જાઓ કરવામાં આવી હોય જેથી તે યુવાનનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે અને હત્યા કરીને મૃતક યુવાનના મૃતદેહને સમથેરવા ગામની સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી ગયેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે સાથોસાથ મૃતક યુવાનની ઓળખ મળેલ નથી જેથી તેના શરીર ઉપર બનાવવામાં આવેલ ટેટૂ તેમજ તેને પહેરેલા કપડાં વિગેરે ઉપરથી મૃતક યુવાનનું ઓળખ મેળવવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News