મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહેલી પેસેન્જર ટ્રેનની આડે અજાણ્યા 40 વર્ષના યુવાને પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને વાંકનેર સિવિલે રાખીને હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તથા તેના વાલીને શોધવા માટેની તજવી હાથ ધરવામાં આવી છે

રાજકોટ બાજુથી પોરબંદર-મુઝફરનગર ટ્રેન વાંકાનેર બાજુ આવી રહી હતી દરમિયાન વાંકાનેર રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાને ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજયું હતું અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં રેલવે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે હાલમાં મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ સ્ટોરેજમાં રાખીને પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસને શોધા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તો તેના વાલી વારસને જાણતા હોય તો વાંકાનેર રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા મો. નં. 63526 35525 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News