મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શખ્સની ઘરની અંદર ગાંજાનો જથ્થો હોવાની હકીકત આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગાંજો અને મોબાઈલ મળીને કુલ 51,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઘરધણીની ધરપકડ કરી હતી અને ગાંજો આપનારનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા વસીમભાઈ બલોચના રહેણા મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 46,750 ની કિંમતનો ગાંજો 50,00 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ પુલ મળીને 51,750 ની કિંમતના મુદ્દામાલને કબ્જે કર્યો છે અને સ્થળ ઉપરથી આરોપી વસીમભાઈ ઉર્ફે લાલો રફિકભાઈ બ્લોચ (40) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેણે સોહીલ પઠાણ રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

આધેડનું મોત

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ બ્રિજ નીચે બીમાર અવસ્થામાં રહેલા અજાણ્યા ૬૫ વર્ષના આધેડનું મોત નિપજયુ હતુ.જેને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી જેની તપાસ સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News