મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત


SHARE













ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત

ગોંડલ રોડ પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવા મુકી આરામ કરવા ગયા અને પછી ઉઠ્યા જ નહીં, પરિવારમાં શોક

ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. મૃતક રાજકોટમાં ગોંડલ રોડ પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવા મુકી આરામ કરવા ગયા અને પછી ઉઠ્યા જ નહોતા. હાલતમાં હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, હીરાભાઈ લાખાભાઈ જારીયા (ઉંમર વર્ષ 48, રહે.ગજડી ગામ, તાલુકો ટંકારા) પેટ્રોલ ડીઝલનું ટેન્કર ચલાવતા હતા. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ પોતે રાજકોટમાં ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ ખાતે તેમના મિત્ર ખોડાભાઈ સાથે ટેન્કર ખાલી કરવા માટે ગયા હતા. પેટ્રોલ પંપ ખાતે ટેન્કર ખાલી કરવા મૂક્યું હતું. દરમિયાન હીરાભાઈ એ તેમના મિત્ર ખોડાભાઈને જણાવ્યું હતું કે મને ગરમી થાય છે તેથી થોડી વાર અંદર જઈને આરામ કરી લઉં. હીરાભાઈ પેટ્રોલ પંપ ખાતે કેબિનમાં જઈને સૂઈ ગયા હતા. ટેન્કર ખાલી થતા ખોડાભાઈ તેમને ઉઠાડવા ગયા પરંતુ હીરાભાઈ બેભાન અવસ્થામાં હોવાનું જણાયું હતું. જેથી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે હીરાભાઈને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, હીરાભાઈ પાંચ ભાઈ અને એક બહેનમાં મોટા હતા અને અપરણિત હતા. તેમના અવસાનથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News