મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

કથા દરમિયાન ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

 વાંકાનેર નજીક આવેલ યાત્રાધામ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિર (માટેલ ધામ)ના સાનિધ્યમાં આવતીકાલ તા.2/5 થી 8/5 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાજકોટ સ્થિત શુકલ પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવેલ છે.

 કરોડો લોકોના કુળદેવીમાં આઈશ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં આવુ આયોજન થતા માટેલ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગના પ્રારંભે તા.2ના બપોર ત્રણ કલાકે સંગીતના સથવારે માંના સાનિધ્ય ખાતેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે જે વાજતે ગાજતે કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સલડી નિવાસી પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી પંકજભાઈ રવિશંકર શુકલના મુખેથી સંગીતના સથવારે કથા શ્રવણનો પ્રારંભ થશે ત્યારે આ પાવન દિવ્ય અવસરે ભાવિક ભકતજનોને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા શુકલ પરિવાર દ્વારા જણાવાયુ છે.કથાનો સમય સવારે 8-30 થી 12-30 નો રાખવામાં આવેલ છે. મહાપ્રસાદ બન્ને ટાઈમ અવિરત પણે યોજાશે.આ અવસરે કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ધામધુમથી યોજાશે






Latest News