રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત


SHARE











વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં મળેલ સામાન્ય સભાની મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર દ્વારા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની રજૂઆત કરેલ છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગાઉની મળેલ મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર અશ્ચિનભાઈ મેઘાણી રજૂઆત કરી હતી છતાં આજ સુધી ખેડૂતો અને કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની અમલવારી કરવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત તેઓએ માર્કેટિંગ યાર્ડની મિટિંગમાં આ બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતાં તમામ ખેડૂત ખાતેદાર તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા તમામ મજૂરોને જે રીતે અન્ય માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મુત્યુ સહાય આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુત્યુ સહાય આપવામાં આવે તેવી માગણી કરેલ છે તેમજ તેઓની આ રજૂઆતને ડિરેક્ટર જલાભાઈ શેરસીયા અને યુનુસભાઈ ખોરજીયા દ્વારા ટેકો આપવામાં આવેલ છે.






Latest News