મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ
મોરબીના વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીના વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
મોરબીના વોર્ડ નંબર-૬ ના કોર્પોરેટર એવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.
વોર્ડ નંબર-૬ ના કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાએ યાદીમાં જણાવેલ છે કે, આગામી સમયમાં કે.જી. તથા ધો.૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે.જેના ભાગ રૂપે વોર્ડ નંબર-૬ માં રહેતા કે.જી. તથા ધો.૧ થી ૧૨ ના વિધાર્થીઓએ પોતાના માર્કશીટ તથા આધારકાર્ડ (વિધાર્થી અથવા તેના પિતાના આધારકાર્ડ) ની નકલ જેની પાછળ પોતાનું પૂરું સરનામું બે મોબાઈલ નંબરો સાથે તા.૨૧-૫ થી તા.૧૫-૬ સુધીમાં મહાલક્ષ્મી માતાજી મંદિર, બજાર લાઈન, હરીશભાઈ દવે (મો.૯૯૭૮૪ ૪૨૮૨૧), હસમુખ પાન પાર્લર, ભાવની ચોક, આશિષભાઇ રાયગગલા (મો.૯૮૯૮૩ ૯૭૨૮૮), ભગત કિરાણા સ્ટોર, કુબેરનાથ રોડ, સચીનભાઈ વોરા (મો.૯૮૭૯૮ ૮૦૦૦૮), બી.કે.એસ.જવેલર્સ, સોની બજાર મેઈન રોડ, આશિષભાઇ વાગડીયા (મો.૯૭૨૭૩ ૭૭૪૪૪), અમુભાઈ દરજી, સાંકડી શેરી, ગ્રીન ચોક પાસે (મો.૯૭૨૪૧ ૫૮૯૭), મનોજ જવેલર્સ, સોની બજાર મેઈન રોડ, અમિતભાઇ પાટડીયા (મો.૮૪૮૮૯ ૦૬૦૦૨) અથવા જનતા સ્ટેશનરી, કુબેરનાથ મંદિર મેઈન રોડ, એડવોકેટ બિલાલભાઈ ખોલેરા (મો.૮૪૬૦૧ ૧૫૯૨૮) ને પહોંચાડી દેવા યાદીમાં જણાવાયે છે.