મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન


SHARE











વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન

વાંકાનેર ખાતે 1250થી વધુ અશકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટની રાજાવડલા રોડ પર આવેલ (ગોપાલ વાડી) ખાતે કે જયાં ગૌ માતાઓનું પણ આશ્રય સ્થાન આવેલ છે ત્યાં ગઈકાલે બપોરના અરસામાં વિશાળ ગોડાઉનમાં ગૌ માતાઓ માટે રાખેલ સુકા ઘાસચારાના જંગી જથ્થામાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા આ આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી જવા પામી હતી.

 આ ઘટનાની જાણ થતા જ ટ્રસ્ટી મહેશભાઈ રાજવીર, પાલીકા પૂર્વ ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, અમીતભાઈ સેજપાલ, રાજભાઈ સોમાણી, જતીનભાઈ ભીંડોરા સહીત સંખ્યાબંધ ગૌભકતોએ તાત્કાલીક ગોપાલવાડી ખાતે ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ટીમને પણ જાણ કરાતાની સાથે જ તે સમયસર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવેલ હતો.

સંસ્થાના પ્રમુખ મુન્નાભાઈ બુધ્ધદેવ સહીતના ટ્રસ્ટીઓની ટેલીફોન મુલાકાતમાં આ ટ્રસ્ટના ગોડાઉનમાં પંદરથી પણ વધુ ગાડી સુકો ઘાસચારો રાખવામાં આવેલ હતો જે આગામી ચોમાસા દરમ્યાન ગૌમાતાઓને અપાતો હોય છે. જેની અંદાજીત કિંમત 17થી 20 લાખ જેટલી થતી હોય છે. હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહેલ છે ત્યારે આ દુર્ઘટના બની છતા કોઈપણ જાનહાની થવા પામી ન હતી. અસંખ્ય ગૌમાતાઓના આબાદ બચાવથી ગૌ સેવકો તથા ગૌ ભકતોએ રાહતનો દમ લીધેલ હતો. અંતમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીએ ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાથી ચોમાસા દરમ્યાન ગૌમાતાને અપાતો સુકા ઘાસચારો ફરી એકત્રીત કરવા માટેની ચીંતા વ્યકત કરી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ પાલીકા સદસ્યો સાથે ટેલીફોનીક વાતચીતથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો






Latest News