મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામનું તળાવને ઊંડું ઉતારવાના કામ બાબતે ગ્રામ પંચાયત ઓફિસમાં જ બઘડાટી: સામસામે ફરિયાદ


SHARE











વાંકાનેરના તીથવા ગામનું તળાવને ઊંડું ઉતારવાના કામ બાબતે ગ્રામ પંચાયત ઓફિસમાં જ બઘડાટી: સામસામે ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામે આવેલ તળાવને ઊંડું ઉતારવા માટે માટી ઉપાડવાનુ કામ મંજૂર કરવામાં આવ્યું છે અને તે કામ બાબતે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સહિતની બોડીના લોકો આવ્યા હતા અને આ કામ રાખવા માટે ઇચ્છતા પિતા-પુત્ર પણ ત્યાં આવ્યા હતા ત્યારે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી જેથી કરીએ આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના આંબેડકર નગર શેરી નં.3 માં રહેતા મનુભાઈ વશરામભાઈ વાઘેલા (68)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તિથવા ગામના સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, તીથવા ગામના ઉપસરપંચ અબ્દુલભાઈ તથા અહેમદહુસેન પરાસરા, કે.પી. પરાસરા, તિથવા ગ્રામ પંચાયતના બોડીના ચાર સભ્યો અને બીજા અજાણ્યા ચાર થી પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા તેનો દીકરો મયુરભાઈ બંને આરોપીઓ પાસે તીથવા ગ્રામ પંચાયત ઓફિસે ગામના તળાવમાંથી માટી ખોદવા બાબતની વાતચીત કરવા માટે ગયા હતા અને ત્યાં આરોપીઓએ ઉસકેરાઈ જઈને ફરિયાદી તથા તેના દીકરાને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી હડધૂત કર્યા હતા અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આ બનાવમાં ફરિયાદીનો મોબાઇલ ફોન તથા સોનાનો ચેન પડી ગયેલ છે જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સમાપક્ષેથી તીથવા ગામના સરપંચ ઇસ્માઈલભાઈ અહમદભાઈ પરાસરા (65)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનુભાઈ વશરામભાઈ વાઘેલા, મયુર મનુભાઈ વાઘેલા રહે. બંને વાંકાનેર, અમૃત વીરજીભાઈ વાઘેલા, અશ્વિન જયંતીભાઈ વાઘેલા તથા રણજીતભાઈ અમૃતભાઈ વાઘેલા રહે. બધા તીથવા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા ગ્રામ પંચાયતની બોડીના સભ્યો સહિતના ગામના તળાવને ઊંડું ઉતારવાનું કામ જિલ્લા આયોજનમાંથી મંજૂર થયું છે તેની ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતા આ કામ આરોપી મનુભાઈ અને તેનો દીકરો મયુર રાખવા માંગતા હોય તેઓ ત્યાં આવ્યા હતા અને આ આરોપી મનુભાઈએ કામની ગ્રાન્ટ ઉપરથી મેં મંજૂર કરાવે છે તારે લી એગ્રીમેન્ટથી આ કામ મને આપવાનું છે તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ કામ આપવાનો ઇન્કાર કર્યો હતો અને ખેડૂતોના હિતમાં કામ થશે અને તળાવની માટી ખેડૂતોને આપવામાં આવશે એવું કહ્યું હતું જેથી આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને ફરિયાદીને ગાલ ઉપર બે ફડાકા માર્યા હતા અને આરોપી મયુરે ફોન કરીને બોલાવતા અન્ય ત્રણ આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સાહેસોકતરજા અને મુબીનભાઈને મારમારીને ઇજાઓ કરી હતી અને મનુભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News