મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામનું તળાવને ઊંડું ઉતારવાના કામ બાબતે ગ્રામ પંચાયત ઓફિસમાં જ બઘડાટી: સામસામે ફરિયાદ


SHARE







વાંકાનેરના તીથવા ગામનું તળાવને ઊંડું ઉતારવાના કામ બાબતે ગ્રામ પંચાયત ઓફિસમાં જ બઘડાટી: સામસામે ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામે આવેલ તળાવને ઊંડું ઉતારવા માટે માટી ઉપાડવાનુ કામ મંજૂર કરવામાં આવ્યું છે અને તે કામ બાબતે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સહિતની બોડીના લોકો આવ્યા હતા અને આ કામ રાખવા માટે ઇચ્છતા પિતા-પુત્ર પણ ત્યાં આવ્યા હતા ત્યારે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી જેથી કરીએ આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના આંબેડકર નગર શેરી નં.3 માં રહેતા મનુભાઈ વશરામભાઈ વાઘેલા (68)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તિથવા ગામના સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, તીથવા ગામના ઉપસરપંચ અબ્દુલભાઈ તથા અહેમદહુસેન પરાસરા, કે.પી. પરાસરા, તિથવા ગ્રામ પંચાયતના બોડીના ચાર સભ્યો અને બીજા અજાણ્યા ચાર થી પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા તેનો દીકરો મયુરભાઈ બંને આરોપીઓ પાસે તીથવા ગ્રામ પંચાયત ઓફિસે ગામના તળાવમાંથી માટી ખોદવા બાબતની વાતચીત કરવા માટે ગયા હતા અને ત્યાં આરોપીઓએ ઉસકેરાઈ જઈને ફરિયાદી તથા તેના દીકરાને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી હડધૂત કર્યા હતા અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આ બનાવમાં ફરિયાદીનો મોબાઇલ ફોન તથા સોનાનો ચેન પડી ગયેલ છે જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સમાપક્ષેથી તીથવા ગામના સરપંચ ઇસ્માઈલભાઈ અહમદભાઈ પરાસરા (65)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનુભાઈ વશરામભાઈ વાઘેલા, મયુર મનુભાઈ વાઘેલા રહે. બંને વાંકાનેર, અમૃત વીરજીભાઈ વાઘેલા, અશ્વિન જયંતીભાઈ વાઘેલા તથા રણજીતભાઈ અમૃતભાઈ વાઘેલા રહે. બધા તીથવા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા ગ્રામ પંચાયતની બોડીના સભ્યો સહિતના ગામના તળાવને ઊંડું ઉતારવાનું કામ જિલ્લા આયોજનમાંથી મંજૂર થયું છે તેની ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતા આ કામ આરોપી મનુભાઈ અને તેનો દીકરો મયુર રાખવા માંગતા હોય તેઓ ત્યાં આવ્યા હતા અને આ આરોપી મનુભાઈએ કામની ગ્રાન્ટ ઉપરથી મેં મંજૂર કરાવે છે તારે લી એગ્રીમેન્ટથી આ કામ મને આપવાનું છે તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ કામ આપવાનો ઇન્કાર કર્યો હતો અને ખેડૂતોના હિતમાં કામ થશે અને તળાવની માટી ખેડૂતોને આપવામાં આવશે એવું કહ્યું હતું જેથી આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને ફરિયાદીને ગાલ ઉપર બે ફડાકા માર્યા હતા અને આરોપી મયુરે ફોન કરીને બોલાવતા અન્ય ત્રણ આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સાહેસોકતરજા અને મુબીનભાઈને મારમારીને ઇજાઓ કરી હતી અને મનુભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News