મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.3માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ભરતભાઈ મગનભાઈ બોસિયા (37)એ મનીષ મૂળજીભાઈ બોસિયા, હિતેશ મૂળજીભાઈ બોસિયા, ગીતાબેન મનીષભાઈ બોસિયા, ક્રિષ્નાબેન મનીષભાઈ બોસિયા અને પુરીબેન મૂળજીભાઈ બોસિયા રહે. બધા આંબેડકર નગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી થોડા સમયથી રાજકોટથી વાંકાનેરના આંબેડકરનગરમાં આરોપીઓના ઘર નજીક રહેવા માટે આવેલ છે જેથી આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ એક સંપ કરીને લાકડાના ધોકા વડે ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો જ્યારે ગીતાબેન અને ક્રિષ્નાબેન સાહેરાધાબેનને લાકડાના ધોકા વડે શરીરે અને પગના ભાગે મારમારીને ઇજા કરેલ છે અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

જ્યારે સામેપક્ષેથી આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ગીતાબેન મનીષભાઈ બોસિયા (40)એ ભરતભાઈ મગનભાઈ બોસિયા, રાધાબેન ભરતભાઈ બોસિયા, નિલેશ મગનભાઈ બોસિયા, મીનાબેન નિલેશભાઈ બોસિયા અને બુબેન મગનભાઈ બોસિયા રહે. બધા આંબેડકર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના દિયર હિતેશભાઈને આરોપી ભરતભાઈ સાથે થોડા દિવસો પહેલા બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ગીતાબેનને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને લોહી નીકળે તેવી ઇજા કરી હતી જ્યારે બાકીના આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી મારામારીના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News