મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો

વાંકાનેરના કાશીપર ગામે રહેતા યુવાનના પિતરાઇ ભાઈએ તે જ ગામમાં રહેતી યુવતીને ભગાડીને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી યુવતીના પિતા સહિત કુલ સાત વ્યક્તિઓ દ્વારા યુવાનનું વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી કારમાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને દીધલીયા ગામની સીમમાં લઈ જઈને ત્યાં યુવાનને કુહાડી, સળિયા, લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (32)વાંકાનેર સિટી પોલીસ કેશાભાઈ મનજીભાઈ લુંભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલભાઈના પત્ની, વાલજીભાઈ માવજીભાઈ લુંભાણી, હંસાબેન કેશાભાઈ લુંભાણી અને કરસનભાઈ લુંભાણી રહે. બધા કાશીપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા ભાવેશએ કેશાભાઈ લુંભાણીની દીકરીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે અને તે બંનેને ફરિયાદી ક્યાંક સંતાડી રાખેલ છે તેવી આરોપીઓને શંકા હોય ફરિયાદી જ્યારે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતો ત્યારે ત્યાં કેશાભાઈ, વિપુલભાઈ અને ગોપાલભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને દીધલીયા ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને કુહાડીનો ઊંધો ઘા માથાના ભાગે માર્યો હતો તેમજ સળિયા, લોખંડના પાઇપ અને ધોકા વડે બીજા આરોપીઓએ ફરિયાદીને શરીરે આડેધડ માર માર્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને કાશીપર ગામે લઈ ગયા હતા અને ત્યાં તેને છોડી મૂક્યો હતો જોકે આ બાબતે કેસ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.






Latest News