હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા મોરબી સરતાનપર રોડે બાંધકામ સાઈટ ઉપર ઊંચાઈએથી પડી જતા યુવાનનું મોત મોરબીમાં નજીવી વાતમાં બે યુવાન ઉપર ચાર શખ્સોએ ધારિયા, કુહાડી અને ધોકાથી કર્યો હુમલો: એક યુવાનની આંગળી કપાઈ ગઈ વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ યુવાનના પિતા ઉપર કર્યો પાઇપ વડે હુમલો મોરબીની સબ જેલમાંથી જડતી સ્કવોર્ડની ટીમે વધુ એક મોબાઈલ શોધી કાઢ્યો: અગાઉ મળેલા 3 મોબાઈલની તપાસ ઠેરની ઠેર! વાંકાનેરના હસનપર ગામે જુગારની રેડમાં 6 શખ્સો 1.09 લાખની રોકડ સાથે પકડાયા, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા માલધારીની બે ભેંસ અવાવરુ જગ્યાએ જતી રહી હતી અને ત્યાં ખોરાક કે પાણી ન મળવાથી અને ગરમીમાં રહેવાના કારણે તે બંને ભેંસોના મોત નીપજયાં છે જેથી આ બનાવની માલધારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા નાનજીભાઈ કાનાભાઈ ભરવાડ (52)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે કે, તેઓની ભૂરા કલરની સાડા આઠ વર્ષની એક ભેંસ તથા કાળા કલરની સાડા છ વર્ષની એક ભેંસ આમ બે ભેંસ છેલ્લા બે દિવસથી ગુમ થઈ હતી અને તેને શોધતા હતા પરંતુ કોઈ જગ્યાએથી તે ભેંસ મળી આવી ન હતી દરમિયાન ગામ નજીક અવાવરું જગ્યાએથી દુર્ગંધ આવતી હોવાથી ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી આ બંને ભેંસો મૃત હાલતમાં મળી આવી હતી જેથી માલધારી દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ બી.જી.દેત્રોજા દ્વારા કરવામાં આવી હોય તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, વાવરું જગ્યાએ ખોરાક કે પાણી ન મળવાથી અને ગરમીના કારણે આ બંને અબોલજીવના મોત થયા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે જોકે, આગળની તપાસ ચાલી રહી છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના માંડલ ગામે રહેતા ગીતાબેન મહેશભાઈ સુમેરા (27) નામની મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા રમેશભાઈ મહાદેવભાઇ ખાંભલીયા (51) નામના આધેડ મોરબી તાલુકાના ઘૂટુ ગામ પાસે સુરેશભાઈની વાડીએ હતા ત્યારે ત્યાં તેને સા કરડી ગયો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને બનાવની પોલીસને  જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા પરમાર નાનજીભાઈ પુંજાભાઈ (54) નામના આધેડ પોતાના ઘરેથી ચાલીને જતા હતા ત્યારે તેઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં નાનજીભાઇને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ છે






Latest News