મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા
રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી
SHARE
રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી
મોરબીના જ્યોતિષકાર તેમજ પ્રખર વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રસાર કરનાર શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે આ સંસ્થાના પદાધિકારી કે.એ. દુબે, પદ્મેશ આચાર્ય, પંકજ ત્રિવેદી તેમજ ડૉ.અજય ભામ્બીની હાજરીમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લાને મોરબી ડ્રિસ્ટિક ચેરમેન તારીકે નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓને ડેઝીગ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબીને ગૌરવ અપાવવા બદલ વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.