મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ
મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાન્ત ભાટિયાની સ્નેહ સ્મૃતિમાં તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. સંગીતાબેન ને શ્રદ્ધાંજલિ આપી હતી સામાન્ય રીતે ઉનાળાના સમયમાં બ્લડની ખૂબ જ ખેંચ પડતી હોય છે તેવા સમયે આ પરિવાર રક્તદાન કેમ્પ કરી અને થેલેસેમિયાના બાળકો તેમજ ગરીબ દર્દીઓ માટે મોટી સેવા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં કોરોના કાળ દરમ્યાન 200 જેટલા કોરોનાગ્રસ્ત શબને અંતિમ સંસ્કાર કરનાર જયેશભાઈ જાનીએ 72 મી વખત અને યોગ બોર્ડના રૂપલબેન શાહએ 55 મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે નવનીતભાઈ કુંડારીયા, દિવ્યકાન્તભાઈ ભાટિયા તેમજ કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.









