હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ


SHARE





ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ

ટંકારાના ઈતિહાસમા સૌ પ્રથમવાર આખા સમસ્ત ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારની શ્રી દ્વારકાધીશ ભગવાનની 52 ગજની ધજા ચડાવવાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે અધિક જેઠ મહિના (પુરષોતમ માસ) ની પૂનમના દિવસે તા-31/5/26 ને રવિવારની સાંજે ધજા ચઢાવવામાં આવશે જે આખી રાત જગત મંદિર પર ફરકતી રહેશે.

આ ધજા ઉત્સવનો સમસ્ત વિસ્તારના પરીવારમા ખુબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણકે ટંકારાના ઈતિહાસમા કોઈ એક આખા વિસ્તાર શ્રી દ્વારકાધીશ ની અને એમાં પણ જયા અઢારેય વર્ણના(જ્ઞાતિના) પરીવારો રહે છે. સાથે તા-29/5/26 ના શુક્રવારના રાત્રે 9 વાગ્યે ત્રણ હાટડી ગરબી ચોકમાં દ્વારકાધીશની જે ધજા ચડાવવાની છે એ આવી રહી છે એના વધામણા બધા પરીવારો કરશે અને આ વર્ષે ધો-10-12 માં પાસ થયેલા દિકરા-દિકરીઓનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. સમગ્ર આયોજન શ્રી નવદુર્ગા ગરબી મંડળની ટીમ અને એમનું વાલી મંડળ કર્યું રહ્યું છે.




Latest News