ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ
SHARE
ટંકારા ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના બધા પરીવારો દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણનો મહાઉત્સવ
ટંકારાના ઈતિહાસમા સૌ પ્રથમવાર આખા સમસ્ત ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારની શ્રી દ્વારકાધીશ ભગવાનની 52 ગજની ધજા ચડાવવાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે અધિક જેઠ મહિના (પુરષોતમ માસ) ની પૂનમના દિવસે તા-31/5/26 ને રવિવારની સાંજે ધજા ચઢાવવામાં આવશે જે આખી રાત જગત મંદિર પર ફરકતી રહેશે.
આ ધજા ઉત્સવનો સમસ્ત વિસ્તારના પરીવારમા ખુબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણકે ટંકારાના ઈતિહાસમા કોઈ એક આખા વિસ્તાર શ્રી દ્વારકાધીશ ની અને એમાં પણ જયા અઢારેય વર્ણના(જ્ઞાતિના) પરીવારો રહે છે. સાથે તા-29/5/26 ના શુક્રવારના રાત્રે 9 વાગ્યે ત્રણ હાટડી ગરબી ચોકમાં દ્વારકાધીશની જે ધજા ચડાવવાની છે એ આવી રહી છે એના વધામણા બધા પરીવારો કરશે અને આ વર્ષે ધો-10-12 માં પાસ થયેલા દિકરા-દિકરીઓનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. સમગ્ર આયોજન શ્રી નવદુર્ગા ગરબી મંડળની ટીમ અને એમનું વાલી મંડળ કર્યું રહ્યું છે.