મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી


SHARE







ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી

માનવ સેવા અને જીવદયા એ જ પ્રભુ ભક્તિનો ઉત્તમ માર્ગ છે, આ ઉક્તિને સાર્થક કરતાં મુંદડિયા પરિવારે એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરીને વડીલો અને અબોલ જીવો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે.

વીરપર ગામના રહેવાસી સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયા (હસ્તે. મણીભાઇ નથુભાઇ મુંદડિયા) ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ' સદ્ ભાવના વૃદ્ધાશ્રમ' ખાતે એક વિશેષ ગરિમાપૂર્ણ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલોને ભોજન કરાવ્યુ હતું. તેમજ માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ જીવદયાના કાર્યને પણ પ્રાધાન્ય આપીને બળદોના ઘાસચારા અને નિભાવ માટે મુંદડિયા પરિવાર તરફથી રોકડ સહાયનું યોગદાન આપવામાં આવ્યું હતું. "સ્વજનની વિદાયનું દુઃખ અસહ્ય હોય છે, પરંતુ તેમના સ્મરણાર્થે જ્યારે કોઈ અસહાય વડીલ કે અબોલ જીવને સહારો મળે છે, ત્યારે જ આત્માને સાચી શાંતિ મળે છે." તેવી લાગણી મુંદડિયા પરિવારે વ્યક્ત કરી હતી.






Latest News