મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું


SHARE







માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું

માળીયા મીયાણાથી કાજરડા તરફ જવાના રસ્તા ઉપર ટીખડ કરતાં શખ્સને યુવાને ટોક્યો હતો જે તેને સારું નહીં લાગતા સામે વાળા શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને લાકડાનો ધોકો યુવાનને માથાના ભાગે માર્યો હતો જેથી માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના કાજરડા ગામે મસ્જિદ પાસે રહેતા ઇસ્માઈલભાઈ યુનુશભાઈ કાજડીયા (40)એ જલાવદીન હસણભાઇ કાજેડીયા રહે. કાજરડા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયાથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અલીયાસભાઈ મોરના ઘર સામે આરોપી ટીખડ કરતો હતો જેથી ફરિયાદીએ તેને ટોક્યો હતો અને તે બાબતનો ખારાખીને આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે યુવાનને માથાના ભાગે માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા

જુના ઘાટીલા ગામના રહેવાસી ગોપાલભાઈ રતિલાલ આગેચાણિયા (25) નામનો યુવાન ટંકારા તાલુકાના ધૂળકોટ ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અસ્કમતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેરના ચંદ્રપુર ખાતે રહેતા કિરણબેન દશરથભાઈ પરમાર (28) નામના મહિલાને ગત તા. 28 ના રોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં ઘરે સસરા પક્ષના લોકોએ કોઈ અજાણી દવા પીવડાવી દેતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે તેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે






Latest News