મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન
મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત
SHARE
મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત
મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન થાય તે માટે મોરબી જિલ્લા લોજપા (લોક જનશક્તિ પાર્ટી)ના મહામંત્રી મનોજસિંહભાઈ અને હોદેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં શિક્ષકોને પોતાની જવાબદારી ઉપરાંત અન્ય જવાબદારીઓ સાથે જોડવામાં આવેલ છે જેમાં એકને એક કર્મચારીને એકથી વધુ જવાબદારી જેવી કે, બીએલઓ, જનગણના અને કંટ્રોલ રૂમની ડ્યુટી આપવામાં આવે છે જેથી શિક્ષકો વધુ જવાબદારીનું વહન કરતાં હોવાથી વિદ્યાર્થીઓના ભવીને તેની સીધી અસર થાય છે. અને તાજેતરમાં ટંકારા તાલુકામાં કંટ્રોલ રૂમની ડ્યુટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવેલ છે. ત્યારે નિવાસી કલેક્ટરે જણાવ્યુ હતું કે, જે કોઈ કર્મચારીઓને એકથી વધુ ડ્યુટી આવેલ છે તેની નામ જોગ માહિતી આપવામાં આવશે તો ડ્યુટીમાં ફેરફાર કરી આપવામાં આવશે.