મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત મોરબીમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલ વધુ એક આગેવાનને ત્યાં જુદાજુદા વિભાગનું સર્ચ ઓપરેશન ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન થાય તે માટે મોરબી જિલ્લા લોજપા (લોક જનશક્તિ પાર્ટી)ના મહામંત્રી મનોજસિંહભાઈ અને હોદેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં શિક્ષકોને પોતાની જવાબદારી ઉપરાંત અન્ય જવાબદારીઓ સાથે જોડવામાં આવેલ છે જેમાં એકને એક કર્મચારીને એકથી વધુ જવાબદારી જેવી કે, બીએલઓ, જનગણના અને કંટ્રોલ રૂમની ડ્યુટી આપવામાં આવે છે જેથી શિક્ષકો વધુ જવાબદારીનું વહન કરતાં હોવાથી વિદ્યાર્થીઓના ભવીને તેની સીધી અસર થાય છે. અને તાજેતરમાં ટંકારા તાલુકામાં કંટ્રોલ રૂમની ડ્યુટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવેલ છે. ત્યારે નિવાસી કલેક્ટરે જણાવ્યુ હતું કે, જે કોઈ કર્મચારીઓને એકથી વધુ ડ્યુટી આવેલ છે તેની નામ જોગ માહિતી આપવામાં આવશે તો ડ્યુટીમાં ફેરફાર કરી આપવામાં આવશે.






Latest News