મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું તેરા તુજકો અર્પણ: વાકાનેર તાલુકા પોલીસે 5.17 લાખના 21 મોબાઇલ મૂળ માલિકને પાછા આપ્યા મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ
Breaking news
Morbi Today

મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ


SHARE







મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ

રાજ્યમંત્રીના ભાઈ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન સાથે જોડાયેલ છે અને તેઓએ ત્યાં સભા ગજવવી હતી ત્યારબાદ રવિવારના દિવસે ખાણ ખનીજ વિભાગની ટિમ રાજ્ય મંત્રીના ભાઈની ભાગીદારી વાળા સ્ટોન ક્રશર ખાતે પહોચી હતી અને ત્યાર બાદ હાલમાં સ્ટોન ક્રશરના સંચાલકને ખાણ ખનીજ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવેલ છે

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ડેલ્ટા સ્ટોન નામનો ભરડીઓ (સ્ટોન ક્રેશર) આવેલ છે કે ભરડીયામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ભાગીદાર છે અને તેઓ જેતપર ગામે ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ તેમાં જોડાયેલ છે અને તેઓએ આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા તેવામાં હવે આંદોલન પાર્ટ 3 તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આંદોલનની સાથે જોડાયેલા લોકોને તોડવા માટેની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે દરમ્યાન રવિવારના દિવસે ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ ડેલ્ટા સ્ટોન નામના સ્ટોન ક્રશર ખાતે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજ વિભાગની ટિમ પહોચી હતી અને અને ત્યાં રોયલ્ટી પાસ વિગેરેનું સ્ટોક વેરિફિકેશન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે ખાણ ખનીજ વિભાગની ટીમે રાજ્યમંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયાની ભાગીદારી વાળા સ્ટોન ક્રશરને રોયલ્ટીના આધાર પુરાવા રજૂ કરવા માટેની નોટીસ આપવામાં આવેલ છે ઉલેખનીય છેકે, ગત તા. 9 ના રોજ જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે રાકેશભાઈ અમૃતિયાએ સભા ગજવી હતી ત્યારે રાજ્યના મિનિસ્ટરોને 108 માં ઘાલવાની, તેઓના ઝભા ફાડવાની અને જિલ્લાના પૂર્વ કલેકટર માટે અશોભનીય કહી શકાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો ત્યાર બાદ સરકારી વિભાગ દ્વારા રાકેશભાઈ અમૃતિયાના ભરડીયે કાર્યવાહી કરવામાં આવી છે. જેથી આ મુદો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.






Latest News