મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના રંગપર ગામે અલગારી જીવન જીવતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા રંગપર ગામે યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને છુટક મજુરીનું કામ કરીને અલગારી જીવન જીવતા મહેશ નાગજીભાઈ ગાંગીયા નામના ૨૦ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હોય મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક મહેશ નાગજીભાઇ ગાંગીયા છૂટક મજૂરી કરીને જીવન જીવતો હતો અને અહીંતહીં ભટકતો રહેતો હતો.જોકે હાલ તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે..? તે તપાસનો વિષય હોય તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ધરપકડ

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રાવલેસ સંચાલકને યુવાન સાથે ઝઘડો થયો હતો જે મારામારીના બનાવમાં ટ્રાવેલ્સ સંચાલક ઉપર ચાર લોકોએ પત્થર વડે હુમલો કર્યો હતો.જેથી ચાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બનાવમાં બી ડિવિઝન પોલીસે જસુબેન દિનેશભાઈ કણજારીયા દલવાડી (૫૩) અને કિંજલબેન દિનેશભાઈ કંજારીયા (૨૩) રહે. બંને રામકૃષ્ણનગર વાળાઓની ધરપકડ કરી હતી.જ્યારે બાઇક સ્લીપ થઇ જતાં મોરબી વીસીપરાના રહેવાસી હેમુભાઇ પોલાભાઈ દલસાણીયા નામના ૬૦ વર્ષીય આધેડને ઈજાઓ પહોંચી હતી. તે રીતે જ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મધુબેન કાંતિભાઈ જુલાસણા નામના એકાવન વર્ષિય આધેડ મહિલા માળીયા હાઇવે ઉપરથી વાહનમાં જતા હતા ત્યારે સનુરા સિરામિક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે લઈ જવાયા હતા અને મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં સાવન દિનેશભાઈ માલકીયા નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર ગામે કમળાબેન રઘુભાઈ માવી નામની ૩૫ વર્ષીય મહિલાએ જીતુભાઈની વાડીએ દવા પી લેતાં તેણીને અહિંની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે તાપીના નિપુર નજીક આવેલા સરવાડા ગામે રહેતો પીન્ટુભાઇ રવજીભાઈ ઠાકરે નામના ૩૨ વર્ષીય યુવાનનું મોરબીના નાગડાવાસ ગામે હોટલ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પિન્ટુભાઇને સારવારમાં મોરબી ખસેડાયો હતો. તેમજ મોરબીના ઉચી માંડલ ગામે રહેતા દેવરાજ કુંજલાલ પંજવાણી નામના ૬૫ વર્ષીય આધેડને પણ વાહન અકસ્માતમાં ઈજા થતાં ૧૦૮ વડે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છ (ભુજ) ના ધાણેટીના રહેવાસી સુરેશભાઈ રાયધનભાઈ ભીલ નામના ૨૫ વર્ષીય યુવાનને મોરબી-માળીયા નેશનલ હાઈવે ભરતનગર ગામની પાસે ટ્રક પલ્ટી જવાના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો.




Latest News