કોણ કહે છે કે મોરબીના યુવાનો સેવાભાવી નથી, નામ-ગામની જાણ ન હોવા છતાં સેવા કરી
મોરબીમાં અરજદારોને સાંભળી સ્થળ પર પ્રશ્નનોનો નિકાલ કરતાં મંત્રી બ્રિજેશ મેરજા
SHARE
મોરબીમાં અરજદારોને સાંભળી સ્થળ પર પ્રશ્નનોનો નિકાલ કરતાં મંત્રી બ્રિજેશ મેરજા
મોરબી લોકોની સુખાકારી માટે સતત,વ્યસ્ત,કાર્યરત મંત્રી બ્રિજેશભાઈ મેરજા શુક્ર થી રવિ મોટા ભાગે મોરબી - માળીયા વિસ્તારની જનતાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ હોય છે.એ મુજબ આજ રોજ સર્કીટ ખાતે અનેક લોકો રજુઆત માટે એકત્ર થયા હતા જેમાં સરપંચો, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ માટેના બદલીના પ્રશ્નો તેમજ શિક્ષણના પ્રશ્નો મત્રીશ્રીને રજૂ કરવા માટે અનેક લોકો ઉપસ્થિત હતા અને સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી વન બાય વન દરેક અરજદારોને બોલાવી શાંતિથી વ્યવસ્થિત સાંભળી લગત અધિકારીઓ સાથે સીધો ટિલિફોનિક વાર્તાલાપ કરી પ્રશ્ન સોલ આઉટ કરવાની સૂચના આપતા હતા,અને જે તે વિભાગના રાજયકક્ષાના પ્રશ્નોનું લેખિત લઈ એમના પી.એસ.ને આપી લેટરપેડ પર જરૂરી લેખિત રજુઆત કરવાની સૂચના આપતા હતા જેથી તમામ અરજદારો બ્રિજેશભાઈ મેરજાના પ્રજાલક્ષી અભિગમને જાણી સમજી અને કામ કરવાની કુનેહથી ખુબજ ખુશ થયા હતા