મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 


SHARE







મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 

જલારામ મંદિરના અડદિયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે 

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર શુદ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદિયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધીયુ બનાવવા મા આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૪૦ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તા.૧૪-૧-૨૦૨૨ મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી મળશે. ઉંધિયુ મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુભંડાર-શાકમાર્કેટ, સુરેશ કાપડ ભંડાર-જેલ રોડ, પોપટ પાન-સામા કાંઠે, ગુડી પાર્લર-સામાકાંઠે, રાજુભાઈ ગિરનારી-જુની દાણાપીઠ તથા જલારામ પાર્ક-નવલખી રોડ, પુજારા સિઝન સ્ટોર્સ- વાવડી રોડ, પરમાર ઈલેક્ટ્રોનિક્સ- ત્રિકોણ બાગહરીશભાઈ રાજા- સરદાર રોડનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ તથા નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.

 






Latest News