માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 


SHARE













મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉંધિયાનુ વિતરણ 

જલારામ મંદિરના અડદિયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે 

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર શુદ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદિયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવીણભાઈ રસોયા દ્વારા ઉંધીયુ બનાવવા મા આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૪૦ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તા.૧૪-૧-૨૦૨૨ મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી મળશે. ઉંધિયુ મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુભંડાર-શાકમાર્કેટ, સુરેશ કાપડ ભંડાર-જેલ રોડ, પોપટ પાન-સામા કાંઠે, ગુડી પાર્લર-સામાકાંઠે, રાજુભાઈ ગિરનારી-જુની દાણાપીઠ તથા જલારામ પાર્ક-નવલખી રોડ, પુજારા સિઝન સ્ટોર્સ- વાવડી રોડ, પરમાર ઈલેક્ટ્રોનિક્સ- ત્રિકોણ બાગહરીશભાઈ રાજા- સરદાર રોડનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ તથા નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.

 






Latest News