માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE

















ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે યદુનંદન-2 માં રહેતા યોગેન્દ્રસિંહ કિર્તિસિંહ જાડેજા (ઉમર વર્ષ 35) પોતાની મહેન્દ્ર કંપની કાર નંબર જીજે 36 ટી 4311 ને લઈને ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરાપર નજીક આવેલ વળાંકમાં તેણે પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને ગાડી રોડની બાજુમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવની અંદર ઈજા થવાના કારણે યોગેન્દ્રસિંહ જાડેજાનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 43) ની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News