ટંકારા વાલ્મીકી સમાજે ચુંટાયેલા સરપંચ-હોદેદારોને સન્માનીત કર્યા
ટંકારા ગ્રામ પંચાયત માટે ૨૨ લાખના ખર્ચે બનનાર પંચાયત ધરનું કરાયુ ખાતમુહૂર્ત
SHARE
ટંકારા ગ્રામ પંચાયત માટે ૨૨ લાખના ખર્ચે બનનાર પંચાયત ધરનું કરાયુ ખાતમુહૂર્ત
૬ મહિનામાં ડબલ ઈમારત વાળી પંચાયત દયાનંદ ચોક ખાતે કાર્યરત થઈ જશે
ટંકારા તાલુકામાં સૌથી મોટી પંચાયત પૈકીની શહેરની ગ્રામ પંચાયતની કચેરી જર્જરીત હાલતમાં હોય છેલ્લા પાંચેક વર્ષથી કચેરીનો વહીવટ મંત્રી આવાસમાં કાર્યરત કરવામાં આવ્યો હતો.ત્યાં ટુકી જગ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય આ અંગે અનેકવાર રજૂઆત કરીને નવુ પંચાયત ભવન બનાવવા માટે માગણી કરવામાં આવી હતી.
ત્યારે પંચાયત વિભાગના મંત્રી તરીકે બ્રિજેશ મેરજાને હવાલો મળતા તાબડતોબ ૨૨ લાખના ખર્ચે ટંકારા ગ્રામ પંચાયતની બિલ્ડીંગ બનાવવા મંજુરીની મહોર તેઓએ મારી દીધી છે. જે બનાવવા નવ નિયુક્ત સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ કામ છ મહિનામાં પુર્ણ થઈ જશે જેમા બે માળની ઈમારતમા નિચે પંચાયત કચેરી બનશે અને ઉપર મંત્રી આવાસ બનાવવામાં આવશે. સરપંચ-મંત્રી માટે સ્ટોરરૂમ અને મિટીંગહોલ સહિતની સુવિધાઓ પણ પંચાયત ભવનમાં ઉપલબ્ધ રહેશે.આ તકે દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજી અને રમેશભાઈ મહેતા, પુર્વ સરપંચ કાનાભાઇ ત્રિવેદી, ગોકળભાઈ પટેલ રાજકીય અગ્રણી પ્રભુ કામરીયા, રૂપસિંહ ઝાલા, ભુપત ગોધાણી, અરવિંદ દુબરીયા, રાણાભાઈ ઝાપડા, હેમંતભાઇ ચાવડા, મુકેશભાઇ લો, દામજીભાઈ ધેટીયા સહિત શહેરના નામાંકિતો અને આગેવાનો હાજર રહ્યા હતા.