મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની ધૂતારી વાડીમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE













મોરબીની ધૂતારી વાડીમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધૂતારી વાડીમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા સમયે મહિલા દાઝી ગઈ હતી જેથી આ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે નવલખી રોડ ઉપર ધુતારી વાડી વિસ્તારની અંદર રહેતા પ્રવિણભાઇ પિલૂકીયા જાતે કોળીના પત્ની દયાબેન (ઉંમર ૩૫) ગત તા ૧૬/૧/૨૨ ના રોજ વહેલી સવારે પોતાના ઘરે ચૂલા ઉપર રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અગન જાળ તેના કપડામાં લાગવાના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું તા,૨૦ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 નવોઢા સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતી હિરલબેન અરવિંદભાઈ થારૂકીયા નામની ૨૨ વર્ષીય પરણીતાએ કોઈ કારણોસર તેના ઘેર દવા પી લેતાં તેને અહીંની શુભ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ વી.કે.કોઠીયાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.જોકે જાણવા મળતી વિગતો મુજબ હિરલબેનનો લગ્નગાળો એક વર્ષનો હોય અને હાલ તેઓ બેભાન હાલતમાં હોય તેણીનું નિવેદન લઇ શકાયું નથી તેથી બનાવ અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી તેમ તપાસ અધીકારીએ જણાવેલ છે.






Latest News