ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું


SHARE













વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે આવેલ મંદિર નજીક રહેતા વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલના ડોક્ટર મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોકનાકા પાસે લીલાધર મંદિર નજીક રહેતા સુરજાબેન નુરજાભાઈ માલીધીન (૬૦) ને ગઈકાલે શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં વાંકાનેરની સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માત

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ એસ્ટ્રોન પેપર મીલ પાસેથી અજીતભાઈ કહેરભાઈ રાઠોડ (ઉંમર ૪૨) રહે. ઘનશ્યામપુર નવા પ્લોટ વિસ્તાર વાળા પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૯૩૩૬ ના ચલાકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અજીતભાઈ રાઠોડને ઇજાઓ થઇ હતી અને તેના બાઈકમાં પણ નુકસાન થયું હતું જેથી કરીને હાલમાં ભોગ બનેલા અજીતભાઈ રાઠોડે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News