માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાવાનાં સંજોગોમાં મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન


SHARE













મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાવાનાં સંજોગોમાં મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન


મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા અનુસાર એસ્પરજીલસ નામની ફુગથી થતો ઉગસૂક એક રોગ છે. આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બિજાણુંઓ તેના પર છવાયેલા હોય છે. વાવેતર બાદ લગભગ દોઢ માસ સુધી નુકશાન કરે છે. ચોમાસું લંબાય તો તેનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે. થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે. અંતે છોડ કંઠનાં ભાગેથી ઢળી પડે છે

ખેડૂતોને ઉગસુક રોગના નિયંત્રણ અને અટકાવવા માટેના પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આગામી સપ્તાહમાં વરસાદ  ખેંચાવવાનાં સંજોગોમાં પિયત આપવું. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે આંતર ખેડ મુલતવી રાખવી અને બે ઈંચ થી વધારે ઊંડું વાવેતર કરવું નહિ. ઘઉં અને ચણા સાથે પાક ફેરબદલી કરવી. ટ્રાયકોડરમાં ફૂગ આધારિત પાવડર ૨.૫ કિ.ગ્રા  ૩૦૦-૫૦૦ કિ.ગ્રા એરંડી ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં એક એકરમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. કાર્બેન્ડાજિમ ૫૦ ટકા વે.પા. ૨.૫ ગ્રામ અથવા કાર્બોકીસન ૩૭.૫ ટકા +થાયરમ ૩૭.૫ ટકા ડીએસ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી ઉગસુકનાં રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News