મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”


SHARE







મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”

 "મારું ગામહરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડીએથી ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકમપરમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ નિશુલ્ક બે થી ત્રણ રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવ્યા હતા સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જે રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કર્યું છે અને વાડી વિસ્તાર તેમજ નર્મદા કેનાલને કારણે પાણીની છતવાળા આ ગામમાં ખેડૂતો ખારેક, લીંબુ જેવા ફળાઉ વૃક્ષોની ખેતી તરફ વળેલ છે. આવા જાગૃત ગામમાં મુક્તિધામ, રામદેવપીર મંદિર, ખેતરપાળ, તળાવ, નિશાળ જેવા અલગ અલગ જાહેર સ્થળોએ હજારોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેરે થયો છે. ગામમાં ઔષધબાગ પણ છે. ત્યારે આગામી દિવસોમાં પોતાના સ્વજનોની સ્મૃતિમાં અન્ય ગામોમાં આવું રચનાત્મક આયોજન કરવું હોય તો વધુ માર્ગદર્શન અને આયોજન માટે પ્રાણજીવન કાલરિયાને મો. ૯૪૨૬૨ ૩૨૪૦૦ નો સંપર્ક કરવાં માટે જણાવ્યુ છે






Latest News