ટંકારાના હડમતીયામાં પાલણપીરની જગ્યાની કેબિનેટ મંત્રી મોદીએ લીધી મુલાકાત
SHARE
ટંકારાના હડમતીયામાં પાલણપીરની જગ્યાની કેબિનેટ મંત્રી મોદીએ લીધી મુલાકાત
ટંકારાના હડમતીયામાં આવેલ મેઘવાળ સમાજનું આસ્થાનું કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ પાલણપીર જગ્યાની મુલાકાત લઈને કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી, મંત્રી દેવાભાઈ પુંજાભાઈ માલમ, મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, ટંકારા તાલુકાના ભાજપના આગેવાન પ્રભુભાઈ કામરીયા, હડમતિયા ગામના આગેવાન પંકજભાઈ રાણસરીયાએ દર્શન કર્યા હતા આ પ્રસંગે મેઘવાળ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પુર્ણેશ મોદી સહિતનાનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ ધાર્મિક પાલણપીરધામ જગ્યાની મુલાકાત થતી હોય તે વેળાએ મંત્રી પુર્ણેશ મોદીએ પાલણપીરનો ઈતિહાસ જાણવા ઉત્સુક હોય તેમ જગ્યાના ગાદીપતિ અને આગેવાનો દ્વારા જીણવટ ભર્યો ઈતિહાસ જણાવ્યો હતો અને વધું જગ્યાનો વિકાસ થાય તે બાબતે અને તાજેતરમાં જ મંજુર થયેલ જગ્યાની બાજુમાંથી જ પસાર થતો સ્ટેટ હાઈવે રોડ તત્કાલીન નવનિયુક્ત અને ગુણવત્તા યુક્ત બને તેવી ગામ આગેવાનોએ રજુઆત કરી હતી