મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ-હિસ્ટ્રી શીટરોના ઘરોમાં પોલીસની 25 જેટલી ટીમો દ્વારા ચેકિંગ મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ


SHARE







મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં ગત મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવતા પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના મકરાણી વાત વિસ્તારમાં તા.૨૧-૨ ના મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર વળે તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી કરી છૂટ્ટા પથ્થર અને બોટલોના ઘા કરાયા હતા જે અંગે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અગાઉ થયેલી મારામારીના ઝઘડાનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં સોડા બોટલના છુટ્ટા ઘા કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

જ્યારે સામાપક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે સામા પક્ષના રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે.બધા મકરાણીવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જૂની અદાવતનો રંજ રાખીને તેઓના ઉપર પથ્થરમારો કરીને સોડા બોટલોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.હાલમાં બંને પક્ષોની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ.એમ.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News