મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ


SHARE











મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં ગત મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવતા પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના મકરાણી વાત વિસ્તારમાં તા.૨૧-૨ ના મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર વળે તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી કરી છૂટ્ટા પથ્થર અને બોટલોના ઘા કરાયા હતા જે અંગે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અગાઉ થયેલી મારામારીના ઝઘડાનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં સોડા બોટલના છુટ્ટા ઘા કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

જ્યારે સામાપક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે સામા પક્ષના રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે.બધા મકરાણીવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જૂની અદાવતનો રંજ રાખીને તેઓના ઉપર પથ્થરમારો કરીને સોડા બોટલોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.હાલમાં બંને પક્ષોની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ.એમ.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News