મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત


SHARE





મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત

વાવડી રોડ લાભ શુભ સોસાયટીમાં રહેતા કરણ દેગામાને તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો

મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો હતો. તેને તત્કાલ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, કરણ ઉર્ફે કાળો દિનેશભાઈ દેગામા (ઉંમર વર્ષ 12, રહે. લાભ શુભ સોસાયટી, ગોકુલ પાર્ટી પ્લોટ સામે, વાવડી રોડ, મોરબી) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે થાંભલામાંથી વિજ કરંટ લાગતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયો હતો.જ્યાં રાત્રે 1.10 વાગ્યાં આસપાસ તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પુછપરછમાં ખૂલ્યું હતું કે મૃત્યુ પામનાર કરણ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો.વીજ પોલ ઉપર કબૂતર બેઠા હતા.તેને પકડવા થાંભલા ઉપર ચડવા જતા વીજ લાઇનનો કેબલ હાથમાં આવી જતા કરંટ લાગ્યો હતો.જેથી કરણ ઉર્ફે કાળો દિનેશભાઈ દેગામાનું મોત નીપજ્યું હતું.

હળવદના ટીકર ગામે સાપ કરડી જતા

હળવદના ટીકર ગામે રહેતા પરીવારના દિલીપ વિકેશભાઈ રાઠોડ નામના 13 વર્ષના બાળકને વાડી ખાતે સાપ કરડી જતા વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.  નવા દેવળીયા ગામે રહેતા કમલેશ દેવશીભાઈ વડેચા (15) અને મેહુલ દેવશીભાઈ વડેચા (30) ને ગામના વાડી વિસ્તારમાં મારામારીમાં ઈજા થયેલ હોય બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા ભાવેશ અરવિંદભાઈ રાવલ નામના તેર વર્ષના બાળકને સાપ કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. માળીયા હાઈવે ભરતનગર પાસે ટ્રક પાસે ઉભેલ રીક્ષાને સાઈડમાં લેવાની વાતે બોલાચાલી બાદ મારામારી થતા ઈજા પામેલા હનીફભાઈ વલીમામદ સામાણી (30) રહે. માળીયા (મીં)ને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો

 




Latest News